Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના રેલ્વે હદ વિસ્તારમાં ચાલુ વર્ષે સર્જાયેલ અકસ્માતોની ઘટનામાં 70 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યા

Share

ભરૂચ જિલ્લા માંથી પસાર થતા રેલ્વે ની હદ વિસ્તાર માં અકસ્માતે મોત થવાની ઘટનાઓમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે, ખાસ કરી પાલેજ થી પાનોલી સુધીની હદ વિસ્તાર માં જ ચાલુ વર્ષે 70 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.

ભરૂચ રેલવે પોલીસ વિભાગ ના સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લા ના રેલવે હદ વિસ્તારો માં અકસ્માત ની ઘટનામાં 70 જેટલાં લોકો મોત ને ભેટ્યા છે, જેમાં અકસ્માત થવા, ચાલુ ટ્રેને પડી જવાથી, આત્મહત્યા કરવાથી, તેમજ કુદરતી રીતે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

Advertisement

દર વર્ષે રેલવે હદ વિસ્તાર માં મૃતકો ની સંખ્યામાં સતત વધારો થાય છે તેવામાં રેલવે મુસાફરી અને અપ ડાઉન કરતા લોકોએ કેટલીક બાબતે સાવધાની દાખવવી પણ ખુબ જરૂરી જણાઈ રહી છે, આ માત્ર ચાલુ વર્ષ એટલે જે જાન્યુઆરી 2023 થી લઈ ડિસેમ્બર 2023 સુધી ના આંકડા છે, જો ભૂતકાળ ના વર્ષો ની વાત કરીએ તો અકસ્માતે મોત ના આંકડા એવરેજ પ્રમાણે સામે આવી રહ્યા છે જે ચિંતા જનક બાબત કહી શકાય તેમ છે.


Share

Related posts

” વિશ્વ સિકલ સેલ દિવસ” : નર્મદા જીલ્લામાં સિકલસેલના સૌથી વધુ દર્દીઓ હોવા છતા સિકલસેલ માટે હોસ્પિટલ કે આઈસીયુની અછત.

ProudOfGujarat

ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાશે, આગામી 12 અને 13 ડિસેમ્બરે વરસાદની આગાહી : ઠંડીનો ચમકારો પણ વધશે.

ProudOfGujarat

રાજપીપળા : જીતનગર ખાતે તા.11 એ નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!