Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.

Share

*ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, શ્રી નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ અને શાસન અંગે ની વિસ્તૃત છણાવટ કરતું, ડો.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” નું વિમોચન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ભાઈ પટેલ ના હસ્તે તા. ૭ મી માર્ચ ૨૦૨૪ ના રોજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી બહુપેન્દ્રભાઈ એ ડૉ. સુનિલ ભટ્ટ ને યશસ્વી વડાપ્રધાન ઉપર થીસીસ લખી ને ડોક્ટરેટ ની માનદ ડિગ્રી પ્રાપ્ત કરવા તેમજ એજ થીસીસ પર આધારિત પુસ્તક લખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ અદભુત પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન અંગેનાં અનેક ઉદાહરણો, યોજનાઓ તેની સફળતા અને લાભો અંગે લેખન કરવામાં આવ્યું છે. ડૉ. સુનિલ ભટ્ટ ભરૂચ જિલ્લાના વતની છે, અને એક પ્રતિષ્ઠિત કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ- રિજનલ એચ.આર છે, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનાં પ્રમુખ છે, તેમજ બી.ડી.એમ.એ-એચઆર ફોરમનાં અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ, ભરૂચની બેંકોનું રૂ.૫૧૯૫.૦૭ કરોડનો ક્રેડિટ પ્લાન મંજુર કરાયો, કલેક્ટરનાં હસ્તે પ્લાનનું વિમોચન કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : કોરોના કાળમાં નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ સેવા દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!