Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી નો મામલો, ભરૂચ માં રજપૂત સમાજ દ્વારા કલેકટર ને અપાયું આવેદન પત્ર

Share

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી નો મામલો, ભરૂચ માં રજપૂત સમાજ દ્વારા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી. જેને પગલે રાજ્યભરના ક્ષત્રિયોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ઠેકઠેકાણે આ વાણીવિલાસ મામલે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, ઉમેદવારની ભૂલ સમજાતા માફી માંગી દીધી હતી, પરંતુ રાજ્યના ક્ષત્રિયો આ ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થાય તેમ ઈચ્છે છે માટે આ સંદર્ભે ગુજરાત રાજપૂત સમાજ ભરૂચ દ્વારા આજે રૂપાલા સામે વિરોધ પ્રદશન કર્યું હતું,

Advertisement

ભરૂચ ના રજપૂત છાત્રાલય ખાતેથી ભેગા થઈ રજપૂત સમાજ ના આગેવાનો સહિત ના અગ્રણીઓએ ભેગા થઈ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા,સાથે જ રૂપાલા સામે ભારે સુત્રોચાર કર્યા હતા

આ બધા વચ્ચે કલેકટર કચેરી નજીક માં જ પુરસોત્તમ રૂપાલાના પૂતળા નું દહન કરવા જતા કરણી સેના અને પોલીસ વચ્ચે એક સામે ઘર્ષણ ની સ્થિતિ નું નિર્માણ પણ થયું હતું,જે બાદ પોલીસે પૂતળા દહન અટકાવી કાર્યકરો ને ખસેડી મુક્યા હતા,ત્યાર બાદ રાજપૂત સમાજ દ્વારા મામલે જિલ્લા કલેકટર ને સમગ્ર ઘટના ક્રમ અંગેનું આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું,તેમજ તેઓની માંગણીઓ સ્વીકાર કરવા અંગેની માંગ કરી હતી


Share

Related posts

સુરત : લિંબાયતમાં નિગર ક્લિનીક નામે લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર પકડાયો

ProudOfGujarat

ગોધરા : ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!