Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના LHS No.26 A બ્રિજ વિસ્તારનો રસ્તો 30 દિવસ માટે બંધ : રેલ્વે લૂપ લાઇન કામગીરીને પગલે ઝઘડિયા તરફનો માર્ગ ડાયવર્ટ : વાહનચાલકો માટે 2 વૈકલ્પિક રૂટ જાહેર

Share

ભરૂચ :


વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા ભરૂચ જિલ્લાના LHS No.26 A બ્રિજ વિસ્તારનો માર્ગ આગામી 30 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33 (1) (બી) હેઠળ મળેલી સત્તાના આધારે આ આદેશ અમલમાં મુકાયો છે.

રસ્તો બંધ રહેવાને કારણે જનતાને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં

  • ઊંચેડીયાથી રાણીપુરા ગામના બસ સ્ટેન્ડ મારફતે મેઈન રોડ તરફ વાહનો ડાયવર્ટ કરાશે
  • તેમજ ઊંચેડીયાથી રાણીપુરા, મોટા સાંજા, મોહન ફળીયા થઈ ઝઘડિયા તરફ વાહન વ્યવહાર ચાલુ રાખી શકાશે

જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમનો અમલ કરાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરના દરજ્જાના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા તેમજ જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.


Share

Related posts

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

ProudOfGujarat

PM મોદીના જન્મદિવસે 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવી સુરતમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ…

ProudOfGujarat

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાત્રે લેસર શો દરમ્યાન જો હોર્ન વગાડશો તો બનશે ગુનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!