Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ

Share

વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ

-વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળે વૃક્ષ ધરાસાઈ ની ઘટનાઓ બની

Advertisement

ભરૂચ જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી મેઘ રાજા મન મૂકી વરસી રહ્યા છૅ, જિલ્લા માં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાસાઈ જેવી ઘટનાઓ સામાન્ય બની છૅ, તેવામાં અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર માંથી આજે વધુ એક ઘટના સામે આવી હતી,

ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર માં વરસાદી માહોલ વચ્ચે એક વૃક્ષ ધરાસાઈ થયું હતું જે વીજ પોલ પર પડતા વીજ પોલ પણ તૂટી પડ્યું હતું જેને લઈ રસ્તા વચ્ચે પડેલા પોલ ના કારણે એક સમયે લોકોમાં નાશભાગ મચી હતી,

સ્થાનિકોએ ઘટના અંગેની જાણ જીઈબી વિભાગ માં કરતા કર્મચારીઓ એ સ્થળ પર દોડી જઈ રસ્તા વચ્ચે જ તૂટેલ વીજ પોલ ને હટાવવા ની કામગીરી કરી હતી, સમગ્ર ઘટના ક્રમ બાદ સ્થાનિકોને કલાકો ના વીજ કાપ નો સામનો કરવાનો વારો આવ્યો હતો, જોકે ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નો શ્વાશ લીધો હતો


Share

Related posts

સુરત : સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિનું નિર્માણ : ‘આપ’ ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો.

ProudOfGujarat

સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીનું મોત થતાં ભકતોમાં અનેક તર્ક-વિતર્ક.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં કેમ સર્જાયો શિયાળામાં ચોમાસા જેવો માહોલ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!