Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં બંધ બંગલા કે મકાનોને તસ્કરો નીશાન બનાવી રહ્યા છે જાણો કેવી રીતે ??

Share

છેલ્લા બે મહિનામાં ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં ૮ કરતા વધુ ચોરીના બનાવો બન્યા છે આ તમામ બનાવો માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. મકાન બંધ છે તેની ખબર તસ્કરોને કેમ અને કેવી રીતે તેમજ ક્યારે પડતી હશે તે બાબતો નું વિશ્લેષણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમ કે તસ્કરો અને તેમના સાગરીતો દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની સંપૂર્ણ વિગતો ભેગી કરી લેતા હોય છે. આમ કરીને તેઓ બંધ મકાન કેટલા દિવસ બંધ રહેશે તેનો આછો પાતળો તાગ પણ બાંધી લેતા હોય છે. ત્યાર બાદ બંધ મકાનને નિશાન બનાવા તસ્કરો ગણતરી પૂર્વક આયોજનો કરી ચોરી કરતા હોય છે. ચોરી અંગે તસ્કરો પાસે આયોજન છે જ્યારે ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ તંત્ર પાસે કોઈ આયોજન નથી તે એક વિચિત્ર બાબત કહી શકાય.

Advertisement

Share

Related posts

જામનગર-વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજની વિદ્યાર્થિની જૂડોમાં ઝળકી

ProudOfGujarat

રાજપારડીમાં દિલ્હી જઇને આવેલ ૧૫ ઇસમોના પરિવારોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

સુરતમાં છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબીએ વેપારી પાસે માંગી ખંડણી બે ઝડપાયા.

ProudOfGujarat
error: Content is protected !!