Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં બંધ બંગલા કે મકાનોને તસ્કરો નીશાન બનાવી રહ્યા છે જાણો કેવી રીતે ??

Share

છેલ્લા બે મહિનામાં ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં ૮ કરતા વધુ ચોરીના બનાવો બન્યા છે આ તમામ બનાવો માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. મકાન બંધ છે તેની ખબર તસ્કરોને કેમ અને કેવી રીતે તેમજ ક્યારે પડતી હશે તે બાબતો નું વિશ્લેષણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમ કે તસ્કરો અને તેમના સાગરીતો દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની સંપૂર્ણ વિગતો ભેગી કરી લેતા હોય છે. આમ કરીને તેઓ બંધ મકાન કેટલા દિવસ બંધ રહેશે તેનો આછો પાતળો તાગ પણ બાંધી લેતા હોય છે. ત્યાર બાદ બંધ મકાનને નિશાન બનાવા તસ્કરો ગણતરી પૂર્વક આયોજનો કરી ચોરી કરતા હોય છે. ચોરી અંગે તસ્કરો પાસે આયોજન છે જ્યારે ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ તંત્ર પાસે કોઈ આયોજન નથી તે એક વિચિત્ર બાબત કહી શકાય.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ડુંગરી જી.આઇ.પી.સી.એલ.ના માર્ગ પર કપચી બહાર નીકળતા વાહન ચાલકો પરેશાન

ProudOfGujarat

ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક યુવક-યુવતી એ આપઘાત કરતા ખળભળાટ-યુવક સુરત ની એક શાળા માં સ્પોર્ટ શિક્ષક હોવાનું પ્રાથમિક જાણકારી મળી…..

ProudOfGujarat
error: Content is protected !!