Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં બંધ બંગલા કે મકાનોને તસ્કરો નીશાન બનાવી રહ્યા છે જાણો કેવી રીતે ??

Share

છેલ્લા બે મહિનામાં ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં ૮ કરતા વધુ ચોરીના બનાવો બન્યા છે આ તમામ બનાવો માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. મકાન બંધ છે તેની ખબર તસ્કરોને કેમ અને કેવી રીતે તેમજ ક્યારે પડતી હશે તે બાબતો નું વિશ્લેષણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમ કે તસ્કરો અને તેમના સાગરીતો દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની સંપૂર્ણ વિગતો ભેગી કરી લેતા હોય છે. આમ કરીને તેઓ બંધ મકાન કેટલા દિવસ બંધ રહેશે તેનો આછો પાતળો તાગ પણ બાંધી લેતા હોય છે. ત્યાર બાદ બંધ મકાનને નિશાન બનાવા તસ્કરો ગણતરી પૂર્વક આયોજનો કરી ચોરી કરતા હોય છે. ચોરી અંગે તસ્કરો પાસે આયોજન છે જ્યારે ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ તંત્ર પાસે કોઈ આયોજન નથી તે એક વિચિત્ર બાબત કહી શકાય.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ProudOfGujarat

ભરૂચ નજીક નર્મદા નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!