Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સુરતમાં દંપતિનું રહસ્યમય મોત થયા બાદ તેની ૪ વર્ષની પુત્રી લાપતા

Share

પ્રાપ્ત માહિતી મુજબ ઉધના સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી દંપતી મૃત હાલતમાં મળી આવ્યું હતું અને તેમની 4 વર્ષીય પુત્રી લાપતા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પરિવારે દાવો કર્યો છે કે મર્ડર કેસમાં મૃતક સાક્ષી હતો અને અંતિમ દિવસોમાં તેણે કેટલીક વખત સચિન જીઆઇડીસી પોલીસનો સંપર્ક કર્યો હતો. વહેલી સવારે 2.30 વાગ્યે રેલવે ટ્રેક પરથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો દિપુ નથુ પ્રજાપતિ (30) અને તેની પત્ની આશા (28)નો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેન ડ્રાઇવરે રેલવેના અધિકારીઓને જાણ કરી હતી, પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી. ટ્રેન ડ્રાઇવરનું નિવેદન નોંધી દંપતિનું કઇ રીતે મોત થયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માથાના ભાગમાં ગંભીર ઇજાથી યુવકનું મૃત્યુ થયું છે. ઘટના સ્થળેથી દંપતિની 4 વર્ષીય પુત્રી લાપતા થઇ ગઇ છે. પોલીસે આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Advertisement

સૌજન્ય(અકિલા)


Share

Related posts

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા કાર્યશાળા યોજાઈ.

ProudOfGujarat

કલેકટર કચેરી અમદાવાદના ઉપક્રમે વિરમગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય તપાસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

ProudOfGujarat
error: Content is protected !!