ભરૂચ.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલાં સામરપાડા ગામે રહેતાં નાનજી ડુંગરસિંગ વસાવા મંડપ ડેકોરેશનનું કામ કરે છે. તેમનો પુત્ર પ્રદિપકુમાર ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બોરોસીલ કંપનીમાં ત્રણેક વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો. હતો. ગઇકાલે સંબંધીના પુત્રના લગ્ન હોવાથી તેમનો પુત્ર સાંજે 6 વાગ્યાના અરસામાં નોકરીએથી પરત આવી ગયો હતો. જે બાદ મળસ્કે 3 વાગ્યાના અરસામાં તે તેની બાઇક લઇને ઝઘડિયા નોકરીએ જવા માટે નિકળ્યો હતો. બીજી તરફ નાનજી વસાવા મંડપ ડેકોરેશનનું કામ કરતાં હોઇ તેઓ તેમના પીકઅપ ટેમ્પો લઇને કાકડકૂઇ ગામે રસોડાના વાંસણો લેવા માટે સાડા ત્રણેક વાગ્યે કાકડકૂઇ ગામ તરફ જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં દેડિયાપાડા-નેત્રંગ રોડ પર ધાણીખૂંટ ગામે કરજણ નદીના પુલ પાસે જતાં ત્યાં અકસ્માત થયાંનું માલુમ પડ્યું હતું. તેમણે જઇને જોતાં તેમના પુત્ર પ્રદિપનો જ અકસ્માત થયો હોવાનું અને તેને ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત થયાનું જણાયું હતું. પુછપરછમાં માલુમ પડયું હતું કે, કોઇ અજાણ્યા વાહને તેમના પુત્રની બાઇકને ટક્કર મારી તેનો મોત નીપજાવી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે તેમણે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
