તસ્કરોએ યાર્ડના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ્યાં હતાં
ભરૂચ
ભરૂચના તુલસીધામ પાસે આવેલી વાસુદેવ પાર્ક સોસાયટીમાં રહેતાં તન્મય રમેશચંદ્ર જોષી પાલેજ જેટકો સબ સ્ટેશનમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત 2 એપ્રિલના રોજ નોકરીએ જવા માટે નિકળ્યાં હતાં. તેઓ રસ્તામાં હતાં તે વેળાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અસલમ અહમદ માસ્તરે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, આપણા સબ સ્ટેશનના યાર્ડમાં પડેલાં એલ્યુનિયમ કંડક્ટરના વાયરોની ચોરી થઇ છે. જેથી તેઓ તેરંત ઓફિસે પહોંચી યાર્ડમાં જઇને જોતાં સ્વિચ યાર્ડમાં જવાના ગેટ પરનું તાળું તુટેલું હતું. અને ગેટને માત્ર આગળો માર્યો હતો. તેમણે અંદર જઇને તપાસ કરતાં અંદરથી અંદાજે 1.17 લાખની મત્તાનો 700 કિલો વાયર ચોરી થયો હતો. જેથી તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કે, ગત 1 મેના રોજ રાત્રીના 8 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યાના સમયગાળામાં કોઇ તસ્કરે યાર્ડના ગેટનુ તાળું તોડી ચોરી કરી ગયો છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
