વાલિયા તાલુકામાં આવેલાં શિનાડા ગામે બનેલી ઘટના
ભરૂચ.
વાલિયા તાલુકામાં આવેલાં શિનાાડા ગામની અને હાલમાં અમદાવાદના બાવળાં ખાતે રહેતાં ગંગાબેન રાવજી પરમાર તેમજ તેમની ત્રણ પુત્રીઓ સજલ, આરતી અને નેહા સાથે હાલમાં વાલિયાના શિનાડા ગામે આવ્યાં હતાં. દરમિયાનમાં સાંજના સમયે તેઓ તેમના ઘરની અડાળીમાં બેઠાં હતાં. તે વેળાં તેમની પુત્રીઓ તેમને સમજાવતાં હતાં કે, ગામમાં કે ફળિયામાં કોઇને મદદ કરવી નહીં જે બાબતે તેમની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમના પાડોશમાં રહેતાં કપુર લલ્લુ વસાવા, લલ્લુ મુળજી વસાવા, લક્ષ્મી લલ્લુ વાસવા તેમજ સોમી લલ્લુ વસાવાએ ત્યાં મારક હથિયારો સાથે દોડી આવ્યાં હતાં. તેમજ તુ કેમ અમને મન ફાવે તેમ બોલ્યાં કરે છે તેમ કહીં તેમની સાથે ઝઘડો કરી તેમના પર ધારિયા, લોખંડની પાઇપ સહિતનામારક હથિયારોથી હુમલો કરતાં માતા-પુત્રીઓને ઇજાઓ થઇ હતી. તેઓએ હવે પછી અમોને ફાવે તેમ બોલશો તો તમારા ટાંટીયા ભાંગી નાંખીશું તેવી ધમકીઓ આપી તેઓ તેમના ઘર તરફ જતાં રહ્યાં હતાં. ઇજાગ્રસ્તોને 108ની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
