Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શ્રવણ ચોકડી પરથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 16 ભેંસોને બચાવાઇ

Share

કુલ 23 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ

ભરૂચ.

Advertisement

ભરૂચ શ્રવણ ચોકડી પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલ આઇસર ટ્રકને અટકાવી હતી. જીવદયા પ્રેમીઓ વિકાશ કાયસ્થ, વિશાલ વણકર, દાના ભરવાડે આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી આવતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 16 ભેંસો મળી આવી હતી.

જે અંગે ઝડપાયેલા વલણના ડ્રાઈવર યુનુસ મઠીયા અને ક્લિનર પીરૂશા દિવાનને પૂછતાં સાપા ગામના સમીર પટેલે આ ભેંસો ભરી આપી હોવાનું કહ્યું હતું. જેને બોરસદ ચોકડીથી ભરી મહારાષ્ટ્ર લઈ જવાય રહી હતી.પોલીસે 8 લાખની કિંમતની 16 ભેંસોને બચાવી, ટ્રક, બે મોબાઈલ મળી 23 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથે પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી લાઈનો.

ProudOfGujarat

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

ProudOfGujarat

નડિયાદ : મકાન બનાવવા માટે ભેગા કરેલા રૂપિયા બે લાખ લઈને કિશોરી ભેદી સંજોગોમાં લાપતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!