Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

Share

 

ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકા મથક ખાતે આવેલુ અને ૧૨૩ એકરમા ફેલાયેલુ તળાવનુ નગરપાલિકા દ્રારા આગામી સમયમા અંદાજીત પાંચ કરોડના બ્યુટીફીકેશન કરવાની તૈયારી કરવામા આવનાર છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરામાં નગરનુ મુખ્ય તળાવ આવેલુ છે.હાલ આ તળાવમાં જગંલી વનસ્પતિ જળકુંભીનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ છે.અને તેમા કચરાના પણ ઢગ જોવા મળી રહ્યા છે.હવે આ તળાવનું અંદાજીત ચાર કરોડના ખર્ચે બ્યુટીફિકેશન હાથ ધરવામા આવનાર છે.તેમા બોટીંગ, તેમજ તળાવની આસપાસ રેલીંગ, બાંકડા,તેમજ લાઇટીંગની સુવિધા કરવામા આવનાર છે.હાલ તેની માટે ઇજારા સહિતની પ્રકિયાઓ પણ હાથ ધરી દેવામા આવી છે.આ તળાવનુ બ્યુટીફીકેશન થવાથી શહેરાના નગરવાસીઓને એક સુંદર સહેલગાહનુ સ્થળ મળશે.કારણ કે હાલ શહેરા નગરમાં બગીચાની સુવિધા ન હોવાથી પણ નાગરિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.ત્યારે નગરપાલિકા હવે તળાવનુ બ્યુટિફીકેશન થવાથી શહેરાનગરને એક સારુ પિકનીક સ્પોટ મળી રહેશે તેમા બેમત નથી.


Share

Related posts

ગોધરા માં પાર્વતીપુત્ર ગણેશજી નું વાજતે ગાજતે વિસર્જન

ProudOfGujarat

ભરૂચની જૂની મામલતદાર કચેરી પાસે નાણાંની સહાય અપાવવાની લાલચ આપી વૃદ્ધ મહિલાનાં સોનાનાં દાગીના કઢાવી છેતરનારા બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

ગોધરા : શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!