Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

Share

 

ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકા મથક ખાતે આવેલુ અને ૧૨૩ એકરમા ફેલાયેલુ તળાવનુ નગરપાલિકા દ્રારા આગામી સમયમા અંદાજીત પાંચ કરોડના બ્યુટીફીકેશન કરવાની તૈયારી કરવામા આવનાર છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરામાં નગરનુ મુખ્ય તળાવ આવેલુ છે.હાલ આ તળાવમાં જગંલી વનસ્પતિ જળકુંભીનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ છે.અને તેમા કચરાના પણ ઢગ જોવા મળી રહ્યા છે.હવે આ તળાવનું અંદાજીત ચાર કરોડના ખર્ચે બ્યુટીફિકેશન હાથ ધરવામા આવનાર છે.તેમા બોટીંગ, તેમજ તળાવની આસપાસ રેલીંગ, બાંકડા,તેમજ લાઇટીંગની સુવિધા કરવામા આવનાર છે.હાલ તેની માટે ઇજારા સહિતની પ્રકિયાઓ પણ હાથ ધરી દેવામા આવી છે.આ તળાવનુ બ્યુટીફીકેશન થવાથી શહેરાના નગરવાસીઓને એક સુંદર સહેલગાહનુ સ્થળ મળશે.કારણ કે હાલ શહેરા નગરમાં બગીચાની સુવિધા ન હોવાથી પણ નાગરિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.ત્યારે નગરપાલિકા હવે તળાવનુ બ્યુટિફીકેશન થવાથી શહેરાનગરને એક સારુ પિકનીક સ્પોટ મળી રહેશે તેમા બેમત નથી.


Share

Related posts

લ્યો બોલો,ઓવૈસી ની પાર્ટીના ભરૂચ ના પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટર માઈન્ડ નીકળ્યો,લાખોના ડ્રગ્સ કેસ પ્રકરણમાં સાહીલ મલેક ની સંડોવણી

ProudOfGujarat

રાજપીપળા : તલાટીઓને સોંગદનામાની સત્તા આપતા નર્મદા જિલ્લા બાર એસોસિએશનએ કલેક્ટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય બાદ દેશભરમાં કોંગ્રેસમાં ઉત્સાહ, ભરૂચમાં પણ કરાઈ જીતની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!