Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

Share

 

ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકા મથક ખાતે આવેલુ અને ૧૨૩ એકરમા ફેલાયેલુ તળાવનુ નગરપાલિકા દ્રારા આગામી સમયમા અંદાજીત પાંચ કરોડના બ્યુટીફીકેશન કરવાની તૈયારી કરવામા આવનાર છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરામાં નગરનુ મુખ્ય તળાવ આવેલુ છે.હાલ આ તળાવમાં જગંલી વનસ્પતિ જળકુંભીનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ છે.અને તેમા કચરાના પણ ઢગ જોવા મળી રહ્યા છે.હવે આ તળાવનું અંદાજીત ચાર કરોડના ખર્ચે બ્યુટીફિકેશન હાથ ધરવામા આવનાર છે.તેમા બોટીંગ, તેમજ તળાવની આસપાસ રેલીંગ, બાંકડા,તેમજ લાઇટીંગની સુવિધા કરવામા આવનાર છે.હાલ તેની માટે ઇજારા સહિતની પ્રકિયાઓ પણ હાથ ધરી દેવામા આવી છે.આ તળાવનુ બ્યુટીફીકેશન થવાથી શહેરાના નગરવાસીઓને એક સુંદર સહેલગાહનુ સ્થળ મળશે.કારણ કે હાલ શહેરા નગરમાં બગીચાની સુવિધા ન હોવાથી પણ નાગરિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.ત્યારે નગરપાલિકા હવે તળાવનુ બ્યુટિફીકેશન થવાથી શહેરાનગરને એક સારુ પિકનીક સ્પોટ મળી રહેશે તેમા બેમત નથી.


Share

Related posts

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને જીઆઇડીસીના અધિકારીઓ સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!