ભરૂચ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ૧૧ વર્ષ ની કેન્દ્ર સરકારની સિધ્ધીઓ જનજન સુધી પહોચાડવાનુ અભિયાન ” ૧૧ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના” શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે આ અભિયાનના ભાગરૂપે વોર્ડ નં.૯ મા ખારવા પંચની વાડી, ગામડિયાવાડ, વેજલપુર, ભરુચ ખાતે આયુષ્યમાન વયવંદના ભારત યોજનાનો કેમ્પ યોજયો. આ પ્રસંગે ૧૫૩ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લામાં આ કાર્યક્રમના નિરીક્ષક ચંપકભાઈ મિસ્ત્રી, વોર્ડ નં ૯ ના નગરસેવકઓ ટીનેશભાઈ, સતિષભાઈ, ભારતીબેન, રોહિણીબેન, કાર્યકર્તા બંધુઓ તથા સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
