Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓમાં 5મીએ રેકોર્ડબ્રેક વૃક્ષારોપણનું આયોજન કરાયું

Share

છોડમાં રણછોડની ભાવના સાથે વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી કરાશે
ભરૂચ.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 5 ઑગસ્ટ 2025 , મંગળવારે બરોબર 10.30 વાગ્યે સમગ્ર ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના માધ્યમથી રેકોર્ડબ્રેક વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું છે.
વૈશ્વિક ચેતનાની જન્મભૂમિ સમા ગરવા ગુજરાતને હરિયાળું બનાવવાના એક માત્ર સંકલ્પ સાથે ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ , છોડમાં રણછોડ એ દિવ્ય અને અનુપમ વિચારને વિસ્તારવા, માનવજાતની સુરક્ષા કવચ સમા , ધ્યાનસ્થ દેવતાઓ સમા વૃક્ષોનું વાવેતર કરી જીવતરને ઉજવવા જઈ રહ્યા છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ દ્વારા એક જ સમયે, એક સાથે, એક લાખ એકાવન હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે.દરેક છોડની વ્યવસ્થિત રીતે માવજત કરી ઉછેર થાય એવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી છે.અનેક જગ્યાએ ઉપવન નું નિર્માણ થશે , અનેક સ્થળોએ આ ભવ્ય આયોજનમાં દિવ્ય ભાવનાથી વૃક્ષપૂજન પણ કરવામાં આવશે.શાળાઓમાં બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવીને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આદર્શ પ્રયત્ન કરવામાં આવશે.રાષ્ટ્ર અને સમાજસેવા માટે કટિબદ્ધ મહામંડળ દ્વારા  અતુલ્ય બ્લડોનેશનનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે એવો રણકાર પણ પ્રમુખ જતીનભાઈ ભરાડ સાહેબે વ્યક્ત કર્યો હતો.આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની સફળતા માટે સૌ હોદ્દેદારો સહિત તમામ સંચાલકો સમગ્ર માનવજાતની સેવા કરવા કટિબદ્ધ બની સમર્પિતભાવથી મહેનત કરી રહ્યા છે.

Share

Related posts

પાલેજ નગરની પાંચ વર્ષની અંજીલા તેમજ ચાર વર્ષના સૂમેરે જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વર ખાતે શ્રદ્ધાભેર મહા શિવરાત્રી ની થયેલ ઉજવણી

ProudOfGujarat

અમદાવાદમાં 582 CRના ખર્ચે બની રહી છે 17 માળની હોસ્પિટલ, PM મોદી કરશે ઉદ્દઘાટન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!