Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIATechnologyUncategorized

ભરૂચ એસટી વિભાગને ફાળવાઈ 10 નવી બસો, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે લીલી ઝંડીથી પ્રસ્થાન

Share

ભરૂચ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી કુલ 151 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ભરૂચના ભોલાવ એસટી ડેપોને 10 નવી બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ભરૂચ-2, અંકલેશ્વર-3, જંબુસર-2, ઝઘડિયા-1 અને રાજપીપળા ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે.

Advertisement

આજના રોજ ભોલાવ એસટી ડેપો ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. બસો ભરૂચથી દાહોદ સહિતના બે નિર્ધારિત રૂટ પર સેવા આપે તેવી રીતે કાર્યરત રહેશે.

આ નવી બસોની ફાળવણીથી જિલ્લા રાહદારીઓ માટે વધુ આરામદાયક અને સમયસર મુસાફરી સુનિશ્ચિત બનશે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક એસટી અધિકારીઓ તેમજ અન્ય પક્ષના અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.


Share

Related posts

ઝઘડિયાની ગુલબ્રાન્ડસન કંપની દ્વારા યુવકોને ટેકનિકલ તાલીમ આપી રોજગારી મેળવી શકે તેઓ સફળ પ્રયાસ કરાયો.

ProudOfGujarat

માંગરોળનાં વસરાવી ગામે દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં કાર ભડકે બળી, સદનસીબે કોઇ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!