Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર

Share

ભરૂચ.

અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં શિવ રેસિડન્સીના પાછળ રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

Advertisement

મૂળ પરપ્રાંતીય રહેવાસી રોશનકુમાર મંડલ અત્યારે અંકલેશ્વરના મારુતિધામ-2 વિસ્તારમાં ભાડે રહેતા હતા અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. સવારે અંકલેશ્વર ઉદ્યોગનગર રેલ્વે સ્ટેશનથી આશરે 500 મીટર દૂર ઝાડીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. મોતના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.


Share

Related posts

નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે અંજલી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા ત્રણ શખ્સોને ૪૮ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!