Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ ::સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપદ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું

Share

સુરત
“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા”ના સૂત્ર સાથે સ્વતંત્રતાનો
ઉત્સવ મનાવવા આ યાત્રા રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમ ભારતસરકારના”હર ઘર તિરંગા”અભિયાનનો ભાગ છે.જે 8 થી 15ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ઉજવાશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતશાહ ના માર્ગદર્શન હેઠળ ભારતે આતંકવાદ સામે કેવીરીતે કડકપગલાં લીધા છે તે અંગે ની વિસ્તૃત માહિતી આપી હતી.સ્વતંત્રતા મેળવવા માટે અનેક વીરોએ પોતાનું જીવનબલિદાન આપ્યું હોવાનું યાદ અપાવવામાં આવ્યું છે.આઝાદીનો લાભ લઈ સ્વચ્છ ભારત નિર્માણમાં દરેક
નાગરિકની ફરજ હોવાનું જણાવાયું છે.વાંકલ ગામના સરપંચ અનિતાબેન ચૌધરી,ઉપસરપંચ શૈલેષમૈસુરીયા,તાલુકાપંચાયત મનહર વસાવા,યુવરાજસિંહ સોનારીયા, કેતન સૂરમાં,રાહુલ ચૌધરી,ઠાકોર લાલ તેમજ આજુબાજુ ગામના સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદના સલુણ એક્ષપ્રેસ પરથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

વડોદરા એમ.એસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચની ગેબિયન વોલ પ્રકરણમાં આખરી નિર્ણય આપવા આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કાનોજીયાની જીલ્લા કલેકટરને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!