ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે ગણેશજીની મૂર્તિઓનાં વિસર્જનનાં દિવસો દરમ્યાન શોભાયાત્રામાં આજુબાજુનાં ગામોમાંથી મોટા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત થશે. અનુભવે જણાયેલ છે કે, ગણેશજીનાં વિસર્જનની શોભાયાત્રામાં જોડાયેલ તથા અન્ય લોકો દ્વારા ઝટપટ પાવડરનો છૂટથી ઉપયોગ થાય છે. ઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમીકલ્સનાં કારણે વિપરિત અસર થાય છે. જેથી ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રા દરમ્યાન ઝટપટ પાવડરનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે. જે ધ્યાને લઈ નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન..આર.ધાધલ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ–૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા.૦૨/૦૯/૨૦૨૫ ના રોજ ભરૂચ જિલ્લાનાં આમોદ ટાઉન તથા જંબુસર ટાઉન ખાતે, તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ કાવી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કાવી ટાઉન તથા કંબોઈ ગામે અને તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ બાકીનાં સમગ્ર ભરૂચ જિલ્લાનાં વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રા નીકળનાર છે, જેમાં ઝટપટ પાવડરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આથી હુકમ કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ–૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.તેમઅધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ તરફથી મળેલા એક જાહેરનામામાં જણાવામા આવ્યું હતું.
