Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના ઝંખવાવ ગામે વીજળી પડતાં ત્રણ ગાયોનાં મોત

Share

વાંકલ.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે થયેલા ધોધમાર વરસાદ અને વીજળી ત્રાટકી હતી. આ વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં મોત થયા છે. ઝંખવાવના ભરવાડ ફળીયામાં રહેતા લાખાભાઈ રઘુભાઈની ગાયો તેમના ઘરના પાસેના મેદાનમાં બાંધી રાખેલી હતી. વરસાદ દરમિયાન કડાકા ભડાકા સાથે વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને પશુપાલન વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને નુકશાનની ભરપાઈ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.

Advertisement

Share

Related posts

નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

ગોધરા તાલુકાનાં સાંપા ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઉંડા કરવા માટે ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!