Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના ઝંખવાવ ગામે વીજળી પડતાં ત્રણ ગાયોનાં મોત

Share

વાંકલ.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે થયેલા ધોધમાર વરસાદ અને વીજળી ત્રાટકી હતી. આ વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં મોત થયા છે. ઝંખવાવના ભરવાડ ફળીયામાં રહેતા લાખાભાઈ રઘુભાઈની ગાયો તેમના ઘરના પાસેના મેદાનમાં બાંધી રાખેલી હતી. વરસાદ દરમિયાન કડાકા ભડાકા સાથે વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને પશુપાલન વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને નુકશાનની ભરપાઈ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના શુકલતીર્થના ભાતીગળ મેળામાં વાવાઝોડા અને વરસાદમાં બેટ ઉપર ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસ્ક્યુ

ProudOfGujarat

ભરૂચ યુવા કોંગ્રેસ રેલી

ProudOfGujarat

બે બાઈક સામસામે ભટકાતાં બેના મોત : મહિલાને ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!