Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી જલધારા ચોકડી નજીક આવેલ મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા નિરમા સ્ટીલ નામની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારી હરિરામ કિશનલાલ બિસ્નોઈ તારીખ 29મી ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરેથી કંઈ પણ કર્યા વગર નીકળી ગયા હતા ત્યારે પરિવારજનોએ તેઓની શોધખોળ શરૂ કરી હતી દરમ્યાન આજે સવારના સમયે તેઓનો મૃતદેહ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને તેઓના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. વેપારી અંતિમ પગલું ભરવા જાય છે તે પૂર્વેના તળાવ નજીક બાગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે.40 વર્ષીય વેપારીએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે ત્યારે જીઆઇડીસી પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નિકોરા ગામે ખેતરમાં પાણી આપવા મુદ્દે તકરારમાં યુવાન પર હુમલો

ProudOfGujarat

NSUI આક્રમક-જ્ઞાન સહાયક યોજના (કોન્ટ્રાકટ આધારિત ભરતી)રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે ભરૂચ NSUI દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

મકર સંક્રાંતિ દરમિયાન 900 કિલો વેસ્ટ પતંગ દોરા એકત્ર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!