ઉમરપાડા (વાંકલ)
ઉમરપાડા તાલુકા મથકે આવેલ ચંપલની દુકાનમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ઉમરપાડા ખાતે રહેતા અને ચંપલનો વેપાર કરતા પ્રવીણભાઈ ભાઈ આહીરની દુકાને લગભગ રાત્રે સાડા નવ વાગ્યાના આગ લાગી હતી.આગ લાગવાની જાણ થતાં આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, આગ એટલી પ્રચંડ હતી કે આખી દુકાન થોડા જ સમયમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. દુકાનમાં રહેલો માલસામાન પણ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે.આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ, પરંતુ દુકાનધારક પ્રવીણભાઈ આહિરને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટનથી.
