Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આદિવાસી છાત્રો પર હુમલાની ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન થાય તો વિશાળ આંદોલન કરાશે : સંદીપ માંગરોલા

Share

ધરોલી ગામના આદિવાસી વિદ્યાર્થી સાથે બનેલી દુખદ ઘટના પ્રકાશમાં આવી છે. પી.પી. સવાણીમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ સંસ્થામાં કેટલાક વિદ્યાર્થીઓ ગેંગ વોર ચલાવી રહ્યા છે અને નશાનો કારોબાર કરી રહ્યા છે તેના કારણે નિર્દોષ આદિવાસી વિદ્યાર્થીઓ પર હુમલા જેવી ઘટનાઓ સર્જાઈ રહી છે.

Advertisement

આ ઘટનાને પગલે કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા માંગણી કરવામાં આવી છે કે ગુજરાત પોલીસ તાત્કાલિક તપાસ હાથ ધરી તમામ દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરે.

સાથે જ સંદીપ માંગરોલાએ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આ મુદ્દે વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે.


Share

Related posts

ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

ProudOfGujarat

અંક્લેશ્વરનો ઝેરી વેસ્ટ સુરત લઈ જતાં કૌભાંડીઓ વિરુધ્ધ ફરિયાદ…

ProudOfGujarat

વડોદરા : કમોસમી વરસાદને કારણે છાણી રોડ પર નર્સરીની દિવાલ ધરાશાયી થતાં ત્રણ કાર દબાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!