ધરોલી ગામના આદિવાસી વિદ્યાર્થી સાથે બનેલી દુખદ ઘટના પ્રકાશમાં આવી છે. પી.પી. સવાણીમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ સંસ્થામાં કેટલાક વિદ્યાર્થીઓ ગેંગ વોર ચલાવી રહ્યા છે અને નશાનો કારોબાર કરી રહ્યા છે તેના કારણે નિર્દોષ આદિવાસી વિદ્યાર્થીઓ પર હુમલા જેવી ઘટનાઓ સર્જાઈ રહી છે.
Advertisement
આ ઘટનાને પગલે કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા માંગણી કરવામાં આવી છે કે ગુજરાત પોલીસ તાત્કાલિક તપાસ હાથ ધરી તમામ દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરે.
સાથે જ સંદીપ માંગરોલાએ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આ મુદ્દે વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે.
