Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો

Share

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આગનો બનાવ સામે આવ્યો છે.ભાલોદ ગામના માછીવાડમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછી તેમના પરિવારજનો સાથે ઘરના પાછળના ભાગે હતા તે દરમિયાન આગળના ભાગે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલ કપડાં સહિત ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ તરફ પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછીએ સરકાર પાસે સહાયની ગુહાર લગાવી છે.

 

Advertisement

 


Share

Related posts

માંગરોળ : વસરાવી ગામને વહીવટી તંત્રે આજરોજ તા. 9/4/2020 નાં સવારથી “ક્લસ્ટર કોરોનટાઇન” જાહેર કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઈડીસી માં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, તાપી જિલ્લામાંથી ક્રાઇમ બ્રાંચે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!