Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના મોતવાણ ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ જીવદયા પ્રેમીઓએ પકડી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

Share

અંકલેશ્વર તાલુકાના મોતવાણ ગામે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જીવદયા કાર્યકર્તાઓએ અત્યંત તકેદારીપૂર્વક આશરે 5 ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાતરી કરવામાં આવી હતી.રેસ્ક્યુ બાદ અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા તેમણે તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. ટીમના સમયસરના પ્રયત્નોને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

Advertisement

Share

Related posts

ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ના આક્ષેપો મુદ્દે ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :  રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIR પર પણ વિરોધ; ભરૂચ રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા

ProudOfGujarat

ભરૂચ તાલુકાની એક સગીરા ગુમ, કોઇ ભગાડી ગયાની આશંકા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની નવા બોરભાઠા અને સરફુદ્દીન ગ્રૂપ ગ્રામ પંચાયતમાં લીગલ એઇડ ક્લિનિકનો શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!