Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાની એક સગીરા ગુમ, કોઇ ભગાડી ગયાની આશંકા

Share

ભરૂચ

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી વૃદ્ધાની પુત્રીના પહેલાં લગ્ન વાગરાના એક ગામમાં થયાં હતાં. જોકે, તેના જમાઇના મૃત્યુ બાદ તેમની પુત્રી તેની પુત્રી સાથ પરત તેમના ઘરે રહેવા આવી ગઇ હતી. દરમિયાનમાં તેમની પુત્રીના બીજા લગ્ન થતાં પૌત્રી તેમની સાથે જ રહેતી હતી. ગત 15મી એપ્રિલના રોજ બપોરના સમયે વૃદ્ધા તેમજ તેમના પતિ અને  પુત્ર થતાં પૌત્રી ઘરે હાજર હતાં. દરમિયાનમાં બપોરના બે વાગ્યાના અરસામાં તેમની પૌત્રી ઘરમાં જણાઇ ન હતી. તેમણે આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેના પગલે તેમણે તેમના સગાસબધીઓને ત્યાં પણ તપાસ કરાવી હતી. જોકે, ત્યાં પણ કોઇને તેમની પૌત્રી અંગે જાણ ન હોઇ આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે તેમની પૌત્રીને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!