Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાની એક સગીરા ગુમ, કોઇ ભગાડી ગયાની આશંકા

Share

ભરૂચ

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી વૃદ્ધાની પુત્રીના પહેલાં લગ્ન વાગરાના એક ગામમાં થયાં હતાં. જોકે, તેના જમાઇના મૃત્યુ બાદ તેમની પુત્રી તેની પુત્રી સાથ પરત તેમના ઘરે રહેવા આવી ગઇ હતી. દરમિયાનમાં તેમની પુત્રીના બીજા લગ્ન થતાં પૌત્રી તેમની સાથે જ રહેતી હતી. ગત 15મી એપ્રિલના રોજ બપોરના સમયે વૃદ્ધા તેમજ તેમના પતિ અને  પુત્ર થતાં પૌત્રી ઘરે હાજર હતાં. દરમિયાનમાં બપોરના બે વાગ્યાના અરસામાં તેમની પૌત્રી ઘરમાં જણાઇ ન હતી. તેમણે આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેના પગલે તેમણે તેમના સગાસબધીઓને ત્યાં પણ તપાસ કરાવી હતી. જોકે, ત્યાં પણ કોઇને તેમની પૌત્રી અંગે જાણ ન હોઇ આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે તેમની પૌત્રીને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા મહાનગરપાલિકાનું 3833.49 કરોડનું કર-દર વિનાનું બજેટ રજૂ કરાયું.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠકની આવતીકાલે યોજનારી મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ…

ProudOfGujarat

અંકલેશ્વર ના ઉદ્યોગકારો દ્વારા મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને પંડવાઈ સુગર ખાતે ઉદ્યોગોના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!