શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી વધુ પૂછપરછ શરુ કરી હતી. પોલીસે આ મામલે અગાઉ 3 આરોપી ની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતી આધારે 2021માં કસાઇવાડ ખાતે કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા ગૌવંશને મુક્ત કરાવી હતી. અને એક ઈસમની ધરપકડ કરી હતી. જે બાદ આ ગુના વધુ બે ઈસમો ની ધરપકડ કરી હતી. જે ગુનામાં સુરત ઝંખવાવ ના અસલમ ગફુર મુલતાની નું નામ ખુલ્યું હતું જેને જે તે વખતે ગૌવંશ ને કતલ કરવા મોકલ્યું હતું. જે છેલ્લા 4 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. તાજેતર માં ગૌવશ ના ગુના માં તેની ધરપકડ થતા સબજેલ માં હતો જે અંગે ની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ને થતા તેની ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી હતી. અને અંકલેશ્વર લઇ આવી તેની વધુ પૂછપરછ શરુ કરી હતી.
Advertisement
