Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં કપિરાજ પાંજરે પુરાયા

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરનો ત્રાસ બહુ વધી ગયો હતો. જેથી ગુસ્તાદ ભાઈ પારડીવાળાએ વાંકલ વિભાગને લેખિત અરજી કરીને વાનર ના ત્રાસથી ત્રાસી ગયા હતા. તેઓ પાસે થી જાણવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાનર લેડીઝ પાછળ દોડીને પકડવા માટે આવતો હતો. ઘરમાં ઘુસી રાંધેલો ખોરાક ખાઈ જતો હતો. ઘરની વસ્તુઓ ઘરની તેમજ બારીઓના કાચ તોડી નાખતો હતો. જેથી ગુસ્તાદ ભાઈ એ વન વિભાગને હિરેન પટેલ ને લેખિત અને મૌખિક રજુઆત કરતાં વનવિભાગે તેમના ત્યાં પાંજરું ગોઠવતા ફ્રૂટ ખાવાનીલ્હાયમાં વાનર પાંજરે પુરાયો છે. વાનરને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ઓસ્કાર હોટલ નજીક કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

નવ વર્ષની આશા અને 1500 કિમીની સફર બાદ હૃદયસ્પર્શી પુનઃમિલન

ProudOfGujarat

ભરૂચના સારંગપુર ખાતેથી 6 શખ્સોને પત્તા પાના વડે જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!