Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં કપિરાજ પાંજરે પુરાયા

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરનો ત્રાસ બહુ વધી ગયો હતો. જેથી ગુસ્તાદ ભાઈ પારડીવાળાએ વાંકલ વિભાગને લેખિત અરજી કરીને વાનર ના ત્રાસથી ત્રાસી ગયા હતા. તેઓ પાસે થી જાણવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાનર લેડીઝ પાછળ દોડીને પકડવા માટે આવતો હતો. ઘરમાં ઘુસી રાંધેલો ખોરાક ખાઈ જતો હતો. ઘરની વસ્તુઓ ઘરની તેમજ બારીઓના કાચ તોડી નાખતો હતો. જેથી ગુસ્તાદ ભાઈ એ વન વિભાગને હિરેન પટેલ ને લેખિત અને મૌખિક રજુઆત કરતાં વનવિભાગે તેમના ત્યાં પાંજરું ગોઠવતા ફ્રૂટ ખાવાનીલ્હાયમાં વાનર પાંજરે પુરાયો છે. વાનરને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા માં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું, મોદીની સભામાં જંગી જનમેદની ઉમટી પડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!