Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડાયાબિટીસના કેસોમાં વધારોઃ  દર છમાંથી એક ભારતીય અસરગ્રસ્ત છે, યુવાનોની સુખાકારીમાં તીવ્ર ઘટાડો જોવાયો

Share

· ડાયાબિટીસ 17 ટકા ભારતીયોને અસર કરે છે જે જીવનશૈલીને લગતી ટોચની પાંચ બીમારીઓમાં સ્થાન ધરાવે છે

· તમામ ડાઇમેન્શનમાં જેન ઝીમાં ઘટાડો જોવાયો જ્યારે જેન એક્સ અને મહિલાઓએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો

Advertisement

· શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક, નાણાંકીય અને કામના સ્થળ એમ છ પરિમાણોમાં સુખાકારીનું આકલન કરવામાં આવ્યું

 

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 14 નવેમ્બર, 2025ના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડેના પ્રસંગે તેની ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ સ્ટડી 2025ની આઠમી એડિશન બહાર પાડી હતી. આ અભ્યાસમાં જણાવાયું છે કે દેશનો એકંદરે સુખાકારીનો સ્કોર સતત ચોથા વર્ષે 72ના આંકડે સ્થિર રહ્યો છે પરંતુ ભારતીયો ડાયાબિટીસ, તણાવ અને હૃદયની બીમારીઓ જેવી જીવનશૈલીની બીમારીઓનો સામનો કરી રહ્યા છે જે તમામ પેઢીઓમાં ધીરેધીરે સુખાકારીને ઘટાડી રહી છે.

કાંતાર સાથેની ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલ આ અભ્યાસમાં ભારતના 19 મુખ્ય શહેરી કેન્દ્રો, જે મેટ્રો અને ટિયર 1 શહેરોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમાં સુખાકારીના છ પરિમાણો – શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક, નાણાંકીય અને કામના સ્થળે સુખાકારીનું મૂલ્યાંકન કરતા 2,000થી વધુ ઉત્તરદાતાઓના મજબૂત નમૂના પર આધારિત છે. અભ્યાસના તારણો પેઢી દર પેઢી નોંધપાત્ર તફાવત દર્શાવે છે: જેન ઝી એ સુખાકારીના તમામ પરિમાણોમાં ઘટાડો નોંધાવ્યો છે, જ્યારે જેન એક્સ અને મહિલાઓમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે, જે બદલાતી જીવનશૈલીના વલણો પર ભાર મૂકે છે.

આ અહેવાલનું એક મુખ્ય તારણ એ છે કે 17 ટકા ભારતીયો હવે ડાયાબિટીસનો ભોગ બનેલા છે, જે તેને તણાવ, સાંધાનો દુઃખાવો અને હાઈ બ્લડ પ્રેશર પછીની ટોચની પાંચ બીમારીઓમાંની એક બનાવે છે. ડાયાબિટીસ ખાસ કરીને મિલેનિયલ અને કોર્પોરેટ કર્મચારીઓમાં વધુ જોવાયો છે, જ્યાં બેઠાડુ જીવનશૈલી, ખરાબ આહારની આદતો અને ઉચ્ચ તણાવ લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો પેદા કરવા માટે એકરૂપ થઈ રહ્યા છે.

આજે ભારતીયો માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ ફક્ત એક પોલિસી કરતાં વધુ બની ગયો છે અને તે સુરક્ષાની ભાવના છે. બેમાંથી એક વ્યક્તિ તેને તેમના સુખાકારી માટે આવશ્યક માને છે, જેમાં ડાયાબિટીસના દર્દીઓ તેમના આરોગ્ય કવરેજની સક્રિય માલિકી લેવામાં અગ્રેસર છે.

આ અહેવાલ અંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યુનિકેશન્સ અને સીએસઆરના હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે, “2025 વેલનેસ ઇન્ડેક્સ આપણને યાદ અપાવે છે કે ભારતની સ્વાસ્થ્યની વાર્તા આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ ઝડપથી બદલાઈ રહી છે. ડાયાબિટીસ જેવી જીવનશૈલીની સ્થિતિઓ વધતી જતી ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે આપણી પસંદગીઓ આ પરિણામોને કેવી રીતે આકાર આપી રહી છે તેમાં ઊંડી સમજ રહેલી છે. યુવા જૂથો, ખાસ કરીને જેન ઝી, અનિયમિત દિનચર્યાઓ અને વધતા તણાવની અસર અનુભવી રહ્યા છે, જે તેમને પ્રારંભિક જોખમ શ્રેણીઓમાં ધકેલી રહ્યા છે. તેનાથી વિપરીત, આપણે મહિલાઓ અને જેન એક્સને વ્યક્તિગત સુખાકારી માટે મજબૂત, વધુ ઇરાદાપૂર્વકનો અભિગમ દર્શાવતા જોઈએ છીએ કારણ કે તેઓ ફિટનેસ, કૌટુંબિક સ્વાસ્થ્ય અને નાણાંકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ પરિવર્તન આપણને બતાવે છે કે ભારતમાં સુખાકારી રોજિંદી શિસ્તમાં વધુને વધુ કેન્દ્રિત થઈ રહી છે, કામચલાઉ જાગૃતિમાં નહીં. આપણે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવીએ છીએ ત્યારે કાર્યવાહી કરવાનું આહ્વાન સ્પષ્ટ છે: પ્રતિક્રિયાશીલ સંભાળથી સક્રિય જીવનશૈલી તરફ આગળ વધો. નાની, સુસંગત ટેવો જેમ કે સંતુલિત આહાર, નિયમિત હલનચલન, સભાન જીવનને નિવારક આરોગ્ય સાધનો અને વ્યાપક ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ દ્વારા વિસ્તારવાથી ખરેખર લાંબા ગાળાની સુખાકારીને ફરીથી વ્યાખ્યાયિત કરી શકાય છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, અમારું ધ્યાન આ સંક્રમણને સક્ષમ બનાવવા અને ભારતને સ્વસ્થ, વધુ સ્થિતિસ્થાપક જીવન જીવવા માટે સશક્ત બનાવવા પર છે.”

 

2025ના વેલનેસ ઇન્ડેક્સના મુખ્ય તારણૉઃ

 

ડાયાબિટીસ અને જીવનશૈલીની બીમારીઓઃ

· 17 ટકા ભારતીયો ડાયાબિટીસનો ભોગ બને છે, જેમાં મિલેનિયલ અને કોર્પોરેટ્સમાં તેનું પ્રમાણ વધુ છે.
· તણાવ અને થાકનું પ્રમાણ વધુ છે. 3 માંથી 1 ભારતીય દૈનિક તણાવનો સામનો કરે છે અને 41 ટકા લોકો સતત થાકનો અનુભવ કરે છે.
· હૃદય/ડાયાબિટીસની કોઈ બીમારી ન હોય તેવા ભારતીયો વેલનેસ ઇન્ડેક્સમાં 79 અંક મેળવે છે, જ્યારે બીમારીઓ ધરાવતા લોકો માટે આ આંકડો ફક્ત 70નો છે.
સુખાકારીમાં પેઢીગત અને પ્રાદેશિક વિભાજન:

· જેન ઝીની કટોકટી - બધા જ પરિબળો (શારીરિક, નાણાંકીય, માનસિક, કામના સ્થળે અને સામાજિક) માં સુખાકારીમાં ઘટાડો. ટિયર-1માં રહેતા જેન ઝી સૌથી વધુ સંવેદનશીલ છે
· જેન એક્સ અને મહિલાઓમાં સુધારો - શારીરિક તંદુરસ્તી, નાણાંકીય સાક્ષરતા, કામના સ્થળે સંતુલન અને કૌટુંબિક બંધનમાં વધારો દર્શાવે છે
· મિલેનિયલ્સનો પુનઃ ઉદય – વધુ પ્રમાણમાં વીમો અને નાણાંકીય આયોજન અપનાવવાથી નાણાંકીય અને કામના સ્થળે સુખાકારીમાં મજબૂત વૃદ્ધિ
· સરેરાશપણે ભારતીયો 1.3 ડિપ્રેશનના લક્ષણોનો સામનો કરે છે, જેમાં થાક અને નિરાશાજનક દ્રષ્ટિકોણ સૌથી સામાન્ય છે. મિલેનિયલ્સ અને કોર્પોરેટ મહિલાઓમાં નબળાઈ સૌથી વધુ છે, જ્યારે જેન એક્સ અને ટિયર-1 શહેરો સૌથી ઓછા પ્રભાવિત છે.
· ઉત્તર ઝોન સુખાકારીના સ્કોરમાં ટોચ પર યથાવત છે, જ્યારે પશ્ચિમ સૌથી નીચે છે. મુંબઈ અને પુણે જેવા મહાનગરો પ્રાદેશિક સરેરાશથી પાછળ છે.
કોર્પોરેટ ક્ષેત્રે સુખાકારીમાં અંતરઃ

· કોર્પોરેટ કર્મચારીઓ એકંદર સ્કોર્સથી પાછળ છે, ખાસ કરીને મહિલાઓ અને યુવા વર્ગમાં શારીરિક અને નાણાંકીય સુખાકારીમાં ભારે ઘટાડો થયો છે.
· 73 ટકા ભારતીયો માને છે કે ઉચ્ચ દબાણવાળું વાતાવરણ હૃદય પર અસર કરે છે, જોકે 10માંથી 4 લોકો વારંવાર લક્ષણોને અવગણે છે અને તેમને તણાવ તરીકે ફગાવી દે છે.
· વર્ક-લાઇફ બેલેન્સ એક પડકાર છે. અપરાધભાવ, થાક અને કૌટુંબિક તણાવ બે-તૃત્યાંશ ભારતીયોને અસર કરે છે. કોર્પોરેટ્સ સૌથી વધુ સંઘર્ષ કરી રહ્યા છે.
આહાર અને પોષણઃ

· 66 ટકા ભારતીયો સંતુલિત આહારનું લેતા હોવાનો દાવો કરે છે જ્યારે મોટાભાગના લોકો ખાંડ, મીઠું અથવા ચરબી ઘટાડવામાં નિષ્ફળ રહે છે. સમય, પ્રેરણા અથવા જાગૃતિના અભાવે સુસંગતતા તૂટી જાય છે.
· જેઓ ખરેખર સંતુલિત આહારનું પાલન કરે છે તેઓ વેલનેસ ઇન્ડેક્સમાં 4 પોઈન્ટ વધારે મેળવે છે.
ઇન્શ્યોરન્સ અને ટેકનોલોજી સુખાકારીના સક્ષમકર્તાઃ

· હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાથી એકંદરે સુખાકારીમાં વધારો થાય છે, ખાસ કરીને નાણાંકીય અને કૌટુંબિક સુખાકારીમાં
· સર્વગ્રાહી ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની વધતી જતી જરૂરિયાત - શારીરિક સ્થિતિઓ (જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા) ધરાવતા લોકો પહેલાથી અસ્તિત્વમાં રહેલા અને ગંભીર બીમારીના કવરેજ લેવા માટે તત્પર છે, જ્યારે માનસિક સ્વાસ્થ્યના લક્ષણો ધરાવતા લોકો મેન્ટલ હેલ્થ કવર અને સુખાકારીના એકીકરણ પર ભાર મૂકે છે.
· ફિટનેસ ટ્રેકર યુઝર્સ નોન-યુઝર્સની તુલનામાં વેલનેસ ઇન્ડેક્સમાં 20 પોઈન્ટ વધુ સ્કોર કરે છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે રેઇડ કરતા 6 જુગારીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી.

ProudOfGujarat

નારેશ્વર ચોકડી પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર એક ઇસમનું કરૂણ મોત.

ProudOfGujarat

रितिक रोशन ने अपनी माँ और बहन के लिए खरीदी बनारसी साड़ी | 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!