Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

Share

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા

ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ.
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મંદિરના અગ્રણીઓ દ્વારા રથયાત્રા મોકૂફ રાખવા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આજરોજ વેજલપુર ભરૂચ ખાતે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!