ભરૂચ.
કચ્છ જીલ્લાના ખાવડા અને તેના આજુબાજુના વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી તેમજ સોલાર પેનલ લગાવી 84 ગી.વોટ વીજ ઉત્પાદન કરાય છે. ત્યારે તેવીજને ટ્રાન્સમિશન દ્વારા રાજ્યના અલગ અલગ 20 જિલ્લામાં વીજ કંપની દ્વારા અલગ અલગ કેવીના મોટા ટાવર-લાઇન નાંખવાની કવાયત હાથ ધરાઇ છે. ત્યારે આ કામગીરીમાં નિયમોનું ઉલ્લઘન કરી ખેડૂતોની જમીનોમાં ટાવર ઉભા કરવાની કાર્યવાહી કરી રહ્યાં છે. ખેડૂતો તેમને રોકવા જાય તો પોલીસ દ્વારા ખેડૂતોને રોકવામાં આવે છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન આપી માંગણી કરી છે કે, કાયદા મુજબ ઇલેક્ટ્રીસીટી એક્ટ ની કલમ 68 મુજબ ટાવર લાઇન નાંખવા સીઇઆરસી પાસે લાયન્સ મેળવવાનું હોય છે. જોકે, પહેલાં અસરગ્રસ્તોના વાંધા સુચનો માંગવાના હોય છે. પરંતુ વાંધા સુચનો લીધા વિના લાયસન્સ કેવી રીતે મેળવ્ય઼ુ તેનીતપાસ થાય અને તેમના લાયસન્સ રદ થાય, ટાવર લાઇનનો રૂટ મેપ જાહેર કરવામાં આવે. અસરગ્રસ્તો માટે સમાન વળતર અંગેની નિતી બનાવવામાં આવે. વધુમાં જમીન સંપાદન કાયદા મુજબ ટાવરના ક્ષેત્રફળનું બજાર કિંમતના ચાર ગણુ વળતર ચુકવવામાં આવે અથવા બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ ડીટરમીશનેશન કમિટીન રચના કરવામાં આવે અથવા વાણિજ્ય જંત્રીના ચાર ગણુ વળતર ચુકવવામાં આવે અથવા ટાવર દીટ બે કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.
