Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઝાડેશ્વર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું

Share

 

ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે રવિવારે ઝાડેશ્વર રોડ પર આવેલાં એન. કે. પેટ્રોલપંપ પાસે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્ર સામે આવનાર ચુનોતીઓનો સંગઠીત સજ્જન શક્તીના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં લોકોએ હાજર રહી હિન્દુ જીવન પદ્ધતીના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સિમદરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

અર્પણ ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞ સમિતિ દ્વારા સહાય અપાય…

ProudOfGujarat

ભરૂચ : દહેજની દાયચી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!