Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કબ્જે કરાયેલા વાહનો લેવા માલિકોને આખરી તક, નહીંતર હરાજી થશે : પોલીસની ચેતવણી

Share

વાંકલ : ઉમરપાડા અને માંડવી પોલીસ દ્વારા કબ્જે કરાયેલા વાહનોના માલિકોને તેમના વાહનો પરત લઈ જવા માટે આખરી તક આપવામાં આવી છે. અનેક વખત ટપાલ દ્વારા નોટિસ પાઠવ્યા છતાં વાહનમાલિકોએ પોતાનો દાવો રજૂ કર્યો નથી.

માહિતી મુજબ, માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ હેઠળ કબ્જે કરાયેલ સી-સ્પાર્ક મોડેલની કાર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરાયેલ બોલેરો વાહન અંગે માલિકોને વારંવાર જાણ કરવામાં આવી હતી. છતાં પણ વાહનો છોડાવવા કોઈ આગળ આવ્યું નથી.

Advertisement

માંડવી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, વાહનોના માલિકો અથવા હક્કદારોને વધુ એક અંતિમ તક આપવામાં આવી રહી છે. જો આ તક છતાં કોઈ દાવો કરવામાં નહીં આવે, તો તે વાહનો હરાજીની પ્રક્રિયા દ્વારા વેચવામાં આવશે.

વાહનોની યાદી માંડવી અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી છે. ઉપરાંત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની સત્તાવાર વેબસાઇટ http://spsurat.gujarat.gov.in પર પણ આ વિગતો ઉપલબ્ધ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા વાહનમાલિકોને સમયસર પોતાના હક્કનો દાવો રજૂ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી તેઓ પોતાના વાહનો પરત મેળવી શકે.


Share

Related posts

લમ્પી વાયરસના કારણે જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ.

ProudOfGujarat

સુરત ચોક બજારના ડભોલી વિસ્તારમાં શાળાનાં બાળકોના ઝધડામાં સમાધાન કરવા ગયેલા બે સંતાનના પિતાને ચ્પ્પુના ધા મારી મોતને ધાટ ઉતારી દેવાની ધટનાએ સુરત પંથકમાં ચકચાર મચાવી છે.

ProudOfGujarat

ભરૂચમાં બેકરી ચલાવતા પિતા-પુત્ર ઘેર જમવા ગયા ને તસ્કરો 1.50 લાખ સેરવી ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!