ભાજપને સત્તામાં લાવવા જજુમતાં કાર્યકર્તાઓની અવગણા કરાયાની કેફીયત
ભરૂચ.
ભરુચ જિલ્લામાં ભાજપ સંગઠનથી નારાજ થયેલાં વોર્ડ નં ૮ના પૂર્વ પ્રમુખ અને છેલ્લા ૨૦ વર્ષથી ભાજપને જીતાડવા સતત પ્રયાસ કરનાર જિજ્ઞેશ બ્રહ્મભહે આ વખતે પાટી પાસે ટિકિટની માગણી કરી હતી. જોકે, પક્ષે તેમને ટિકિટ નહીં આપતાં તેમના ઘરમાંથી ટિકિટ મળે તે માટે પણ પક્ષના હોદ્દેદારોને રજૂઆત કરી હતી. તેમ છતાં તેમની અવગણા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે શુક્રવારે તેઓએ તેમના સાથીઓ સાથે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખની ઉપસ્થિતીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.
ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર ૮ સતત વિવાદિત રહ્યો છે. આ પહેલાં મનહર પરમાર કે જેમને ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં અપક્ષમાંથી ઊભા રહ્યાં હતાં. જોકે, બાદમાં તેમના પર શંકાસ્પદ સંજોગોમાં પોલીસ કેસ થયાં હતાં. જે બાદ તેઓ ભાજપમાં પરત જોડાયાં હતાં. ગઈકાલે કોંગ્રેસ શહેર પ્રમુખના વોર્ડમાંથી જ યુવાનોએ ટિકિટ માટે ભારે હંગામો કર્યો હતો. હવે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ત્યારે ભાજપના કેટલાંય દુઃખાયેલાં લોકો તેમને અંદરખાને મદદ કરે તેવી શક્યતાઓ વચ્ચે ભરૂચ નગરપાલિકાન ચૂંટણી હાલમાં ભારે ચર્ચાને અરણે છે.
