Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના સેફ્રોન નજીક ખાડામાં કાર ખાબકી : ખોદકામ બાદ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે ઘટના બની

Share

 

અંકલેશ્વર શહેરના સેફ્રોન વિસ્તાર નજીક ખોદકામ બાદ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે એક કાર ખાડામાં ખાબકવાની ઘટના સામે આવી છે.

Advertisement

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોદકામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ પર કોઈપણ પ્રકારના બેરીકેડ, ચેતવણી બોર્ડ અથવા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટનાને લઈને અંકલેશ્વર નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો આવી બેદરકારીના કારણે કોઈ જાનહાનિ કે અન્ય અનિચ્છનીય ઘટના બને, તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે લોકોમાં ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.

જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની સત્તાવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.


Share

Related posts

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી

ProudOfGujarat

ગરમીનો પ્રકોપ વધતા ભરૂચમાં ‘લૂ’થી સાવચેત રહેવા આરોગ્ય વિભાગની અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!