ભરૂચ.
મધ્યપ્રદેશના જામ્બુઆ ખાતે રહેતાં જવરુ પુનિયા ડામોરતેમના પરિવાર સાથે ભરૂચ રેલવે સ્ટેશન પર કડીયાકામની મજુરી કરે છે ગઈકાલે બપોરના સમયે તેમનો ખાવાનો એક પડતાં તેણે ખાવાનું ખાધા બાદ થાક લાગ્યો હોઈ શૌચાલય પાસેના બાકડાની બાજુમાં તે સુઈ ગયો હતો. તેનો મોભાઈલ તેના હાથમાં જ હતો. દરમિયાનમાં તે ઊંઘમા હતો. તે વેળાં તકનો લાભ લઈ કોઈ ચોર તેના હાથમાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તેણે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચતાં ટીમે આરપીએફ ઓફિસમાં જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં બે શખ્સોએ મળી તેના હાથમાંથી મોબાઈલની ચોરી કરી રફુચક્કર થઈ ગયાં હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે તેમણે ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર તપાસ કરતાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાઈ ગયાં હતાં. પુછપરછમાં બન્નેના નામ અનિલસિંહ રામલાલસિંહ સિંધ ( રહે. કાલુપુર અમદાવા) તેમજ ભાવેશ જીતુ રાવલ (રહે. કેશવનગર છાપરામાં, સાબરમતી) હોવાનું માલુમ પડયું હતું. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
