ભરૂચ:
ભરૂચ શહેરમાં રાત્રિના સમયે મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. રસ્તા વચ્ચે બેસી રહેતા પશુઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત રાત્રે ભરૂચ નગરપાલિકાની પશુ પકડવાની ટીમ દ્વારા શહેરના લીંક રોડ વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રોડ પર બેસેલા અને રખડતા 8થી વધુ પશુઓને પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા પશુઓને ત્યારબાદ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે પશુઓ પકડવા માટે ખાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રસ્તા પર બેસતા કે રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
