ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ મિલકત વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ મિલકતધારકોને જપ્તી વોરંટ અને નોટિસની બજવણી કરાઈ છે.
Advertisement
પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરમાં ડોર-ટુ-ડોર વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 72 હજારથી વધુ મિલકતો પૈકી આશરે 15 હજાર કોમર્શિયલ અને 57 હજાર રહેણાંક મિલકતો છે.
પાલિકાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના આશરે રૂ.18 કરોડ અને અગાઉના બાકી રૂ.9 કરોડ મળી કુલ રૂ.27 કરોડથી વધુની વસુલાત બાકી છે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર સામે સીલિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
