Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા તાલુકાના ઝોઝ ગામે ઉજ્જવલા દિનની ઉજવણી.મહિલાઓને LPG ના જોડાણ અપાયા.

Share

વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રુપે આજે ના દિવસે ઉજ્જવલા દિવસ તરીકે ઉજવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.આ દિવસને એક વિશેષ ઉજવણી બનાવવા માટે એલપીજીની સુરક્ષા,તેના ઉપયોગ,અંગે ચર્ચા કરવા તેમજ દિવસે એલપીજીનુ જોડાણ પણ લાભાર્થીઓને પુરુ પાડવામા આવ્યુ હતુ.પંચમહાલ ના શહેરા સહિત જીલ્લા મા ગ્રામ સ્વરાજ અભિયાન ના ભાગરૂપે ઉજ્જવલા દિન ની ઉજવણી કરાઈ હતી તાલુકા ના ઝોઝ ગામ ખાતે તાલુકા પ્રમુખ કિરણ સિંહ બારીયા ,તેમજ રાજકીય અગ્રણી મગન ભાઈ પટેલીયા સહિત ના હસ્તે 100 જેટલી મહિલા લાભાર્થી ને ગેસ નુ જોડાણ આપ્યું હતુ. મોટી સંખ્યામાં મહિલાઓ,ગ્રામજનો ઉપસ્થિત રહી હતી.શહેરા તાલુકામાં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 13000 કાર્ડ ગ્રાહકો ને લાભ આપવામા આવ્યો છે
લોકોમાં એલપીજી અંગે જાગૃતિ લાવવા
વધારે લોકો આ અભિયાનમાં જોડાવા માટે ઉજ્જવલા દિન ની ઉજવણી કરવામા આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં ગુજટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટના કાયદાને કાઠી સમાજ દ્વારા વખોડવામાં આવી હતી તે મામલે સુરતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

રાજકોટમાં ડેન્ગ્યુના કારણે 4 વર્ષની બાળકીનું નિપજ્યું મોત, પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!