Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ શહેરમાં તસ્કરોનો આતંક આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિર ને નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી તસ્કરોએ ભગવાન ને પણ ન છોડી પોલીસ સામે પડકાર ફેંક્યો હતો.

Share

ભરૂચ શહેરમાં ચોરી ને અંજામ આપતા ઘણા કિસ્સા ઓ પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તારમાં રહેલી દુકાનોમાં તસ્કરો એ પોતાનો હાથ અજમાવ્યો હતો.. ત્યારે હવે ભગવાનને પણ તસ્કરોએ ના છોડ્યા હોય તેમ જાણવા મળ્યું છે…
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ની આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિર માં રાત્રી દરમિયાન તસ્કરો એ મંદિર ને નિશાન બનાવ્યું છે.. આ ચોરી ની જાણ મંદિર ના પૂજારી કરુણા કરણ પન્ડા રોજ ના નિત્યક્રમ પ્રમાણે મંદિરને બંધ કરી પોતાના ઘરે ગયા હતા.. ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ મંદિર મા પ્રવેશ કરી મંદિરની દાન પેટી તોડીને હજારોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.. કમનસીબે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા બગડી ગયેલ હોય આ ઘટના કેમેરામાં કેદ થવા પામી ન હતી.. પણ એક વાત તો ચોક્કસ છે કે આ કોઈ જાણભેદુ હોય તેમ પ્રથમ તબક્કે દેખાઈ આવ્યું છે..કારણ કે આ મંદિર ભરચક વિસ્તારમાં આવેલું છે…

Advertisement

મંદિરમા ચોરી થયા ની જાણ મંદિરના પૂજારી ને મળસ્કે જ્યારે મંદિર ખોલવાના સમયે આવ્યા ત્યારે થઇ હતી..જ્યારે દાનપેટીનું તાળું તૂટેલી અવસ્થામાં હતું ..તપાસ કરતા અંદર ભક્તોએ નાખેલી દાનની રકમ પણ ગુમ થઈ હતી.. પુજારીએ મંદિરના ટ્રસ્ટીઓ ને જાણકારી આપી હતી અને ટ્રસ્ટીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભરૂચ શહેર માં કેટલાક મંદિરો તસ્કરોના નિશાન ઉપર આવ્યા હોવાની બાબતો સામે આવી ચૂકી છે..એવા ફરી એક વાર મંદિર ને નિશાન બનાવી તસ્કરીની ઘટના ને અંજામ આપતા તસ્કર તત્વો પોલીસ ની નાઈટ પેટ્રોલિંગ ની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે….


Share

Related posts

“છેવાડાના નાગરિક સુધી વહીવટી તંત્ર પહોંચે તેવો અમારો સંકલ્પ” — જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં જનસેવા કેન્દ્રનું કરજણ બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ઇખર ગામની સીમમાં આવેલ ખેતરમાં DGVCL નું ડી.પી તોડી ચોરીની ઘટનાને અંજામ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!