Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

Share

રાજ્યના તલાટીઓ વિવિધ માંગણીઓનું નિરાકરણ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન મુજબ વાલીયા તાલુકાના તલાટી મંડળે વાલીયા મામલતદાર જે.જે રાઠવા તમેજ વાલીયા તાલુકા વિકાસ અધિકારી કે.કે પટેલને આ બાબતે આવેદન પત્ર પાઠવી હડતાલમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જેથી તાલુકાની ગ્રામ પંચાયતોમાં તમામ જાતની કામગીરીઓ ઠપ થઈ જશે. રાજ્યના તલાટીઓની વર્ષો જુની માંગણીઓનું નિરાકરણ લાવવા શરૂ કરેલા શાંત આદોલનનું પરિણામ નહી આવતા સરકારને ભીસમાં લેવા તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે. આ હડતાલમાં વાલીયા તલાટી મંડળ પણ જોડાશે તેવું વાલીયા તાલુકા મંડળના પ્રમુખ મુકેશભાઈ પંડીતે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ : અસામલી ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા, બે ની હાલત ગંભીર

ProudOfGujarat

જામનગર : જામ્યુંકોના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી.

ProudOfGujarat

કલેક્ટર કચેરી નજીક આવેલ રેલ્વે ગરનાળામાં સ્કુલ બસ ફસાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!