Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગુ.હા. બોર્ડ ખાતે લાભપાંચમે ભંડારો યોજાયો…

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઇસિંગ બોર્ડ ખાતે લાભપાંચમ નિમિત્તે સામાજીક અગ્રણી અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતું.

ગણેશ અગ્રવાલ દ્વારા છેલ્લાં ૧૮ વર્ષથી નિયમિત રીતે આ ભંડારાનું આયોજન ગુજરાત હાઉસિંગ બોર્ડ માં કરાય છે. આ ભંડારામાં હિંદુ-મુસ્લીમ સહિત તમામ કોમનાં હજારો લોકો ઊમટી પડયા હતાં. ગણેશ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકોમાંથી વૈમનસ્ય દુર થાય, ભાઈચારાની લાગણી મજબુત બને અને કોમી એખલાસની ભાવના સૌનાં હ્ર્દયમાં ચિરસ્થાયી બને એ હેતુથી જ દર વર્ષે આ ભંડારાનું આયોજન સાર્વજનિક રીતે કરાય છે જેમાં નાત-જાતનાં ભેદભાવ વિના સૌ સાથે મળી ભંડારાનો આનંદ ઉઠાવે છે.

Advertisement

Share

Related posts

દિલ્હીમાં 66 મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો, ટીમ ઇવેન્ટમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસથી લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકી : રાજપીપળા સિવિલમાં આ લોકોની મુશ્કેલી કોઈ જોનાર જ નથી ???!

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!