Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ પંથકમાં દિપડા દેખાવાની બૂમો વચ્ચે હવે અંકલેશ્વર તાલુકાના અડીને આવેલ જૂના ગામની સીમમાં દેખાવવા પામી છે. આ અંગે જૂના રહિશોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જુના દીવા ગામમાં આવેલ ખેડૂતોમાં ખેતી કરવા જતા માટે ડરનો માહોલ ઉભો થયો છે. આ અંગે ગામના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ રાઠોડને પોતાની ટીમને મોકલી આપતા હાલમાં જૂના ગામની સીમમાં આવેલ ખેતરમાં દીપડાને ઝડપી પાડવા માટે પાંજરૂ મૂકવામાં આવેલ છે. ખેડૂત અગ્રણી વિવેકભાઈ જણાવ્યું કે આ દીપડો પાંજરે પુરાઈ તો ગામલોકો પોતાના ખેતરોમાં ખેતીકામ માટે જઈ શકશે. હાલ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અહીં જૂના માર્ગ ઉપર ઘણી સોસાયટીઓ પણ આવેલી હોય પ્રજામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

પાવાગઢ-ચાંપાનેર ખાતે ૨૨ ડિસેમ્બરથી પંચમહોત્સવની ઉજવણી નિમીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

ઘનશ્યામ નાયકના મૃત્યુ પર બાઘાએ કેમ આવું કહ્યું “સારું થયું કે ગુજરી ગયા નટ્ટુ કાકા”

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!