Proud of Gujarat
FeaturedGujarat

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

Share

દિનેશભાઇ અડવાણી

૨૨-ભરૂચ લોકસભા બેઠક ના પ્રચારના પડઘમ શાંત થવાના આરે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં છેલ્લી ઉતેજના સભર વાતાવરણ કેવું છે તે અંગેની વિગતો જોતા તારીખ ૨૦-૦૪-૧૯ના શનિવારે ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં બી.ટી.પી ના ઉમેદવાર આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાની રેલીનું આયોજન કરાયું છે .આ અગાવ પણ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં બી.ટી.પી દ્વારા વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના એક રીતે કહિયો તો કાઉન્ટરના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૨૧-૪-૧૯ ના રવિવારે ભરૂચ,અંકલેશ્વર,અને જંબુસર ખાતે એક સાથે કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જયારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ અંડર કરંટ પ્રચાર કરી રહી છે અને તેથી જ તેનો પ્રભાવ પણ નોંધપાત્ર રહે તેવી સંભાવના નકારી શકાતી નથી પરંતુ તારીખ ૨૧-૪-૧૯ ના સાંજના સમયથી પ્રચારના ભૂંગળા એટલે કે પડઘમ શાંત થઇ જશે.ત્યારબાદ મતદારોની માનસિક પ્રક્રિયા શરૂ થશે અને તારીખ ૨૩-૪-૧૯ ના મંગળવારે મતદારો પોતાનો અવાજ મત આપી રજુ કરશે.જે અવાજ તારીખ ૨૩-૫-૧૯ એટલે મત ગણતરીના દિવસે સાંભળી શકાશે.ત્યાં સુધી થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી રહી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત કરાયું

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!