Proud of Gujarat
FeaturedGujarat

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

Share

દિનેશભાઇ અડવાણી

૨૨-ભરૂચ લોકસભા બેઠક ના પ્રચારના પડઘમ શાંત થવાના આરે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં છેલ્લી ઉતેજના સભર વાતાવરણ કેવું છે તે અંગેની વિગતો જોતા તારીખ ૨૦-૦૪-૧૯ના શનિવારે ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં બી.ટી.પી ના ઉમેદવાર આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાની રેલીનું આયોજન કરાયું છે .આ અગાવ પણ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં બી.ટી.પી દ્વારા વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના એક રીતે કહિયો તો કાઉન્ટરના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૨૧-૪-૧૯ ના રવિવારે ભરૂચ,અંકલેશ્વર,અને જંબુસર ખાતે એક સાથે કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જયારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ અંડર કરંટ પ્રચાર કરી રહી છે અને તેથી જ તેનો પ્રભાવ પણ નોંધપાત્ર રહે તેવી સંભાવના નકારી શકાતી નથી પરંતુ તારીખ ૨૧-૪-૧૯ ના સાંજના સમયથી પ્રચારના ભૂંગળા એટલે કે પડઘમ શાંત થઇ જશે.ત્યારબાદ મતદારોની માનસિક પ્રક્રિયા શરૂ થશે અને તારીખ ૨૩-૪-૧૯ ના મંગળવારે મતદારો પોતાનો અવાજ મત આપી રજુ કરશે.જે અવાજ તારીખ ૨૩-૫-૧૯ એટલે મત ગણતરીના દિવસે સાંભળી શકાશે.ત્યાં સુધી થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી રહી.

Advertisement

Share

Related posts

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓને આદેશપત્રો અને અધિકારપત્રોનું કરાયું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ પથક માં દીપાવલી પર્વની રાત્રીએ ચાર આગના બનાવો નોંધાયા અન્ય નાની મોટી આગના બનાવો પણ બન્યા જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!