Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ સંસદીય મત વિસ્તારના મતદાનની ટકાવારી તાપ-તડકા અને લગ્નની મોસમ પર આધારિત.જાણો કેમ ?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ સંસદીય મત વિસ્તારની લોકસભા બેઠકની ચૂંટણી તારીખ ૨૩-૦૪-૧૯ ના રોજ યોજાનાર છે .ત્યારે લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મતદાનની ટકાવારી કેટલી રહેશે તેનું અનુમાન રાજકીય પક્ષના મોવડી મંડળ,ઉમેદવારો અને કાર્યકરો કરી રહ્યા છે .૩-૪ દિવસ પેહલા તાપમાન ૩૭ ડિગ્રી સુધી નીચે ઉતારી ગયું હતું તે વખતે રાજકારણીઓ આનંદમાં આવી ગયા હતા .તેમને એમ હતું કે હવે ચૂંટણીના આડે તાપમાનની સમસ્યા નહિ નડે પરંતુ ફરી તાપમાનનો પારો વધતા હાલ ગરમી ૪૦ ડિગ્રીની આજુબાજુ નોંધાય રહી છે.ત્યારે મતદાનના દિવસે એટલે કે તારીખ ૨૩-૦૪-૧૯ ના રોજ પણ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે .જેના પગલે બપોરે ૧૨ થી ૩ ના સમય દરમિયાન મતદાન સ્વભાવિક રીતે ઓછું રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે .આ ઉપરાંત ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાયા છે.જેની અસર પણ મતદાનની ટકાવારી પર પડશે .અલબત્ત કેટલાક એવા પ્રસંગો પણ બનશે જેમાં વર-કન્યા અને જાનૈયા મતદાન કરી પછી લગ્ન વિધિમાં જોડાશે .અલબત્ત આવા પ્રસંગો ખુબ ઓછા બને છે.આમ ચૂંટણીના મતદાનની ટકાવારી લગ્ન પ્રસંગો અને તાપમાન પર આધારિત થઇ ગઈ છે .અલબત્ત તત્રં દ્વારા આ વખતે મતદાન અંગેની જાગૃતિ માટે ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા હતા .તારીખ ૨૩-૦૪-૧૯ ના રોજ યોજાનાર ચૂંટણી ની ટકાવારી કેટલી રહે છે તેની ચોક્કસ વિગત મતદાનનો સમય પૂર્ણ થયા બાદ જ મળી શકશે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વધતા કોરોનાનાં સંક્રમણની ચેઇનને તોડવા રાત્રી કરફ્યુ બાદ તંત્રનાં વધુ કડક નિયમોનું વેપારીઓએ કર્યું પાલન, મોટા ભાગની દુકાનો બંધ, માર્કેટમાં છવાયો સન્નાટો..!!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકાનાં ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલાનું નિધન થતા સમાજ તથા જિલ્લામાં શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ દ્વારા રિક્ષામાં ચોરખાનામાં સંતાડીને દારૂની હેરફેર કરનાર પર પોલીસે કરી લાલઆંખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!