Proud of Gujarat
GujaratFeaturedHealth

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

Share

દિનેશભાઇ અડવાણી

આજે તારીખ ૨૫-૦૪-૧૯ના રોજ વિશ્વમાં મલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે .ભરૂચ જિલ્લામાં મેલેરિયાના રોગને નાથવા અને તેથી મચ્છરના ઉપદ્રવને નાથવા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે .પરંતુ આ ખર્ચ માત્ર કાગળ ઉપર જ જણાય છે .વાસ્તવમાં ભરૂચ જિલ્લાના પ્રથમ ક્રમાંકના અધિકારી અને પદાધિકારીઓના વિસ્તારોમાં મચ્છરને નાથવા અંગેના તમામ પ્રયાશો કરવામાં આવે છે પરંતુ ઝુપડપટ્ટી તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી .વાસ્તવમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં મેલેરિયાથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ હોય છે .સમગ્ર ગુજરાતમાં મેલેરિયાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો મોખરે છે .મેલેરિયા અને ઝેરી મેલેરિયા જેવા રોગોના પગલે થયેલ મરણ ના આંકમાં પણ ભરૂચ જિલ્લો અગ્રીમ છે .એક ગણતરી પ્રમાણે દર મહિને ભરૂચ જિલ્લામાં મચ્છરને નાથવા લાખો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ આ લાખો રૂપિયા ખર્ચવા છતાં કોઈ ખાસ પરિણામ જોવા મળતું નથી એવી લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement


Share

Related posts

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચના માતરિયા તળાવ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

રહિયાદ ગામે L&T કંપની પાસે નર્મદા કિનારે જુગાર રમતાં – ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!