Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતની કંપની દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં નિકાલ કરતા જીપીસીબી એ કાર્યવાહી કરી

Share

છેલ્લા એક અઠવાડિયાથી અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં પ્રદૂષણ વહેવાની ઘટનાઓ બની રહી હતી. આજે પણ આવી ઘટનાની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપિસિબી ને કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા સ્થળ પર તપાસ કરતા લાલ રંગનાં પાણીનુ ગેરકાયદેસર નિકાલ કરનારી કંપનીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “પ્રદૂષિત પાણીનાં ગેરકાયદેસરનાં નિકાલની રોજની ઘટના બની છે આજરોજ પણ અમે ફોન કરીને જીપીસીબી ને સ્થળ પર બોલાવી હતી. જીપીસીબી દ્વારા લાલ રંગનાં પ્રદૂષિત પાણીનાં નિકાલ કરનારી કંપનીને રંગે હાથ ઝડપી પાડી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણે ગાંધી જયંતિ ઉજવી રહ્યા છીએ સ્વચ્છતા બાબતે ઠેર ઠેર સરકારી પ્રોગ્રામ થઈ રહ્યા છે. ત્યારે આજનાં દિવસે અમારી ફરિયાદનાં અનુસંધાને જીપીસીબી એ કરેલ અભિયાનને અમો બિરદાવી એ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે દોષિત કંપનીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

નર્મદા નદી નો નવનિર્મિત નર્મદામૈયા બ્રીજ રંગબેરંગી લાઇટોથી ઝગમગતો.. લાઈટીંગથી ઝગમગતો બ્રિજ આકર્ષણનું કેન્દ્ર..

ProudOfGujarat

આરોગ્ય શાખાના કર્મચારી મંડળ દ્વારા સુરત કલેકટર, ડી.ડી.ઓ અને સી.ડી.એચ.ઓ ને ત્રણ માંગને લઈ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!